
નર્મદા: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાંથી પ્રભુત્વ સ્થાપિત કરનાર વંદનાબેન ભટ્ટનું વિજય સરઘસ
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં જનરલ બેઠક પર વંદનાબેન આઈ. ભટ્ટની ભવ્ય જીત બદલ ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. ઉપલબ્ધ માહિતી મુજબ વંદનાબેનને 2,03,002 જેટલું મતમૂલ્ય પ્રાપ્ત થયું છે કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં તેઓ અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા છે. છેલ્લા 25 વર્ષ બાદ ભરૂચ–નર્મદા જિલ્લામાંથી પ્રથમ વખત આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જે સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. ખાસ નોંધનીય બાબત એ છે કે નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે.
આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના આશીર્વાદ લઈ વંદનાબેન ભટ્ટ નું અભિવાદન કરવા માટે વિજય સરઘસ નુ આયોજન કરાયું હતું જેમાં ડીજે ના તાલ સાથે બાઇક અને કાર માં નર્મદા જિલ્લા ભરના વકીલો જોડાયા હતા




