આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે નવરાત્રિ મહોત્સવ યોજાયો

8 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા સુભાષભાઈ વ્યાસ
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે તારીખ-7 ઓકટોબર 24 ના રોજ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી તથા છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી વગેરે તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો અને કોલેજના વિદ્યાર્થીઓ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ તથા આચાર્યશ્રીઓએ અને સ્ટાફ મિત્રોએ મા અંબાની શ્રદ્ધાપૂર્વક આરતી ઉતારી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ માગ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હર્ષ-ઉલ્લાસ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. આ સાથે લકી ડ્રોનું આયોજન કરી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરાયું હતું. આમ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓની પ્રેરણાથી તથા કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી નવરાત્રિ પર્વનું સુંદર આયોજન કરાયું હતું. છેલ્લે સૌ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા.





