
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી વિસ્તારમાં BSNL મોબાઇલ ટાવર ના ધાંધિયા, ગ્રાહકોના રૂપિયા ખાડામાં જતા હોય તેવો ઘાટ, લ્યો બોલો.. ગ્રાહક માટે હેલ્પ લાઈન નંબર પણ નથી..?
ઈસરી ગામે બીએસએનએલ મોબાઇલ ટાવર સરકારી કંપની નો છેલ્લા ધણા સમયથી ટાવર ઉભું કરવામાં આવ્યું છે સરકારી અને સારી સેવા મળી રહે તેવા આશય થી આ વિસ્તાર ના અંતરિયાર આદીવાસી વિસ્તાર ના લોકોએ બીએસએનએલ કંપની ના કાર્ડ લીધા હતા પણ હાલ માં ઇસરી ગામે મોબાઈલ કંપનીનું ટાવર હોવા છતાં ફ્રિકવન્સી ન મળતા નજીક માંના ગામોના ફોન લાગતા નથી ટાવર સતત બંધ રહે છે જેના કારણે સામાન્ય પરિવાર ના લોકોએ બીએસએનએલ મોબાઇલ ઇન્ટરનેટ સેવા અને મોબાઈલ નેટવર્કના હોવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે આ કંપની નો કોઈ કસ્ટમર કેર સેન્ટરમાં હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો નથી પૈસા આપી ને લોકો જાતે છેતરાયા હોવાનો એહસાસ કરી રહ્યા છે.ઝડપથી BSNL ટાવર ની ફ્રિકવન્સી સમસ્યા દૂર થાય તે જરૂરી છે નહિ તો આ વિસ્તારના 1 હજાર થી વધુ ગ્રાહકોએ BSNL સિમ કાર્ડ બંધ કરવા માટે ની ચીમકી ઉંચારી છે




