GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:”પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”હેઠળ જૂન માસનો જથ્થો ૦૫મી જૂન સુધી લઇ લેવા અનુરોધ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા.૦૨: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – ૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ” હેઠળ વિનામુલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. જેથી લાભાર્થીઓના હિતમાં માહે : જુન- ૨૦૨૫ માસનો અનાજનો જથ્થો તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી મેળવી લેવા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – ૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ધારા ધોરણ પ્રમાણે લાભ મળે તે માટે તમામ લાભાર્થીઓનું ઇ-કેવાયસી કરાવવું જરુરી છે. જે મુજબ નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૦.૮૬% લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી પુર્ણ કરેલ છે. તેમજ નવસારી જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – ૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે,  જો આપનું ઇ-કેવાયસી બાકી હોય તો સબંધિત ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી, વ્યાજબી ભાવની દુકાન પર જઈને તેમજ ઘરે બેઠા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App દ્વારા) કરાવી લઇ આપની નજીકની વાજબી ભાવની દુકાન ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી નવસારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!