
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના તમામ ગ્રામજનોને જણાવવામાં આવ્યું છે કે આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્વચ્છ ઉર્જા, સુલભતા ટકાઉપણું અને સમાવિષ્ટ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર સમુદાયોને એકત્ર કરવા તથા રાજય પંચાયતી રાજ વિભાગ ગ્રામિણ ઉર્જા પહેલ માટે જવાબદાર રાજય નવીનીકરણ ઉર્જા વિકાસ એજન્સી (SREDA) અથવા રાજય નોડલ એજન્સીઓ (SNAS) સાથે સહયોગ કરવા તેમજ ગ્રામિણ વિકાસ યોજનાઓ જેવી કે, પીએમ સૂર્યઘર, પીએમ-કુસુમ, પી જનમન, ડીએ જેજીયુએ અને બાયોગેસ વિગેરે મુદાઓ અંતર્ગત તા.૧૫ મી ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ નવસારી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવેલ છે.





