દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દ્વારકામાં આવેલ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિર પાસે વાવાઝોડાએ તબાહી મચાવી છે. મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચ્યા છે. મંદિરની બહાર રહેલી દુકાનોથી લઈને મંદિરની અંદર સુધી તબાહી જોવા મળી રહી છે. શનિ મંદિર, હનુમાન મંદિર પણ ક્ષતિગ્રસ્ત થયા છે, જો કે મૂર્તિઓને નુકશાન થયું નથી.