નવસારી જિલ્લામાં ૧૧ જેટલા જુના બ્રિજનું મરામત છેલ્લા બે વર્ષમાં કરાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નોંધનિય છે કે, હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનો અભિયાન ચાલી રહેલ છે . જેમાં નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ તમામ બ્રિજની સર્વેની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. જે અન્વયે આગળની જરૂરી કાર્યવાહી સરકારશ્રીના આદેશાનુસાર હાથ ધરવામાં આવશે. તેમ નવસારી માગ અને મકાન (સ્ટેટ ) વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે .


