GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને દુધરેજ સરસ્વતી સ્કૂલ, ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ.

યોગથી શરીર, મન અને આત્મા સ્વસ્થ અને પ્રફુલ્લિત બને છે - નાયબ મુખ્ય દંડક

તા.10/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે અને નિરોગી જીવન જીવવા માટે યોગને પોતાની જીવનશૈલીનો નિયમિત ભાગ બનાવે તે માટે સમયાંતરે યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને દુધરેજ સરસ્વતી સ્કૂલ, ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપકારક યોગની આપણી ભવ્ય અને પ્રાચીન પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરતા સમગ્ર વિશ્વમાં યોગની મહત્તાનો બહોળો સ્વીકાર થયો છે યોગના મહત્વનો વિશ્વસ્તરે સ્વીકાર થતા સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યોગથી શરીર, મન અને આત્મા સ્વસ્થ અને પ્રફુલ્લિત બને છે આત્મવિશ્વાસનો પણ સંચાર થાય છે ગુજરાત સરકાર દ્વારા યોગનો વ્યાપ વધારવા અને લોકો યોગને પોતાની જીવન શૈલીનો નિયમિત ભાગ બનાવે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સમગ્ર રાજ્યમાં યોગ શિબિરો અને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વધુમાં તેમણે ઉપસ્થિત તમામને નિરોગી સ્વસ્થ જીવન માટે યોગનું મહત્વ સમજાવી રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ૪૧ સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દુધરેજ સરસ્વતી સ્કૂલ, ગ્રાઉન્ડ ખાતે પણ યોગ શિબિર યોજાઈ હતી આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના શ્રી મહાવીર પ્રસાદ, જિલ્લા યોગ કોર્ડીનેટર નીતા દેસાઈ, અગ્રણી ઘનશ્યામભાઈ ચાવડા, સી.કે પરમાર તેમજ ડૉ.માનસી ગઢવી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!