GUJARATJUNAGADH

જૂનાગઢ તાલુકા અને શહેરનાં વિસ્તારમાં અશ્વના ગ્લેન્ડરનો રોગચાળા અન્વયે જાહેરનામું પ્રસિઘ્ઘ

જૂનાગઢ તાલુકા અને શહેરનાં વિસ્તારમાં અશ્વના ગ્લેન્ડરનો રોગચાળા અન્વયે જાહેરનામું પ્રસિઘ્ઘ

જૂનાગઢ તાલુકાના અને જૂનાગઢ શહેરનાં વિસ્તારમાં અશ્વના ગ્લેન્ડરનો (બેક્ટેરીયાથી થતો) રોગચાળો જોવા મળેલ છે. આ રોગચાળા અન્વયે ભારત સરકારશ્રીની નોટીફીકેશન The Prevention and Control of infectious and Contagious disease in Animal Act-2009″ Chapter-III, Part-20 અન્વયે જૂનાગઢ શહેર તેમજ તાલુકા(રોગગ્રસ્ત વિસ્તાર) માંથી પશુપાલકોએ તથા જાહેર જનતાએ ચેતવણી અર્થે અશ્વ, ગર્દભ, ખચ્ચર પોનીને બહાર લઈ જવા ઉપર અને બહારથી અંદર લઈ આવવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય જાહેરનામું તાત્કાલીક અસર થી એક માસ સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાંનો ભંગ કરનાર પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!