GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મતદાન દિવસે મતદાતાઓ માટેનું જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

તા.૨૩/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે ગુજરાત રાજયમાં ૦૭/૦૫/૨૦૨૪નાં રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થનાર હોવાથી મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે કોઈ અડચણ પેદા ન થાય તેમજ જાહેર શાંતિ અને સલામતી જાળવી શકાય તે હેતુથી રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કેટલાક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

જે મુજબ ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોએ ૧. જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તેના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઉભા રહેવા અને જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તે મુજબ ઉભા રહેવા, ૨. મતદારે મતદાન મથકમાં લાઈન મુજબ જ પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવા, ૩. મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવા માટે જણાવવામાં આવ્યું છે. આ આદેશો રાજકોટ શહેર સહીત સમગ્ર રાજકોટ જિલ્લાનાં વિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪ના મતદાનના દિવસ માટે અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!