કોરોના મહામારી વચ્ચે લોકોમાં આર્યુવેદિક ઉપચાર માટે રુચિ ઉત્પન્ન થઈ છે ત્યારે સામાન્ય થી જીવલેણ બીમારી હોય તો પણ લોકો આર્યુવેદિક ઉપચાર ને પ્રાધાન્ય આપે છે. કેશોદ ના અજાબ ગામે અમરધામ આશ્રમ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પ માં નાડી વૈધ ના નિષ્ણાત વૈધાચાર્ય કલ્પેશભાઈ દ્વારા આપણી વૈદિક પરંપરા મુજબ વનસ્પતિ અને રસાયણ ભસ્મનો ઉપયોગ તેમજ એકયુપ્રેસર પધ્ધતિના સમન્વય થી ગમે તેવા હઠીલા રોગની સરળ અને લોકોને પોસાય તેવા સામાન્ય ખર્ચમાં.આ કેમ્પમાં નિદાન સારવાર અને માર્ગદર્શન આપવામાં આવેલ આ તકે આશ્રમના ગાદીપતિ ભીમબાપુ, માજી સરપંચ દેવજીભાઈ આકોલા,પંચાયત સદસ્ય અભયભાઈ વ્યાસ અને સામાજિક કાર્યકર ગોવિંદભાઈ મેતાની ઉપસ્થિતિમાં અજાબ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ના દર્દીઓ એ લાભ લીધો હતો વધારે સારવાર ની જરૂરિયાત વાળા દર્દીઓને મેંદરડાના ગંગેળી આશ્રમ ખાતેના કેર સેન્ટરમાં સારવાર માટે ની વ્યવસ્થા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સેવક ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને વધારેમાં વધારે દર્દીઓ ને લાભ મળે એવુ સુદંર આયોજન કરવામાં આવેલ હતું. ખેતીવાડી અને પશુપાલન નાં વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રામ્ય વિસ્તારના રહીશો ને ગામડામાં આયોજન થતાં નિદાન અને સારવાર કેમ્પ આર્શીવાદરૂપ સાબિત થાય છે. મોટી સંખ્યામાં આ આર્યુવેદિક નિદાન અને ઉપચાર કેમ્પમાં લાભ મેળવી સંતોષ વ્યક્ત કરતાં નજરે પડતાં હતાં.
રિપોર્ટ : અનિરૂધ્ધ સિંહ બાબરીયા – કેશોદ
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.