
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પીપલગાવથી ડુંગળીનો જથ્થો ભરી પંજાબ જઈ રહેલ ટ્રક.ન.આર.જે.49.જી.આર.1748 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ હાઉસ નજીકનાં વળાંકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા બેકાબુ બનેલ ટ્રક માર્ગની સાઈડ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત ડુંગળીનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં બારીપાડા ગામ નજીક પ્રવાસી કાર ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.આજરોજ સુરત તરફથી પુણે તરફ જઈ રહેલ કાર.ન.એમ.એચ.12.એક્સ.ટી.9912 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા અહી કાર માર્ગનાં સાઈડમાં ઉતરી જઈ ઝાડી ઝાંખરાથી ભરેલ ખાડામાં ખાબકતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કારમાં સવાર મહારાષ્ટ્રનાં પ્રવાસીઓને નજીવી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે




