GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં શનિવારે રાતેબ-એ-રિફાઈના શાનદાર જલસાનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રાતેબ-એ-રિફાઈનો શાનદાર જલસાનું આયોજન શનિવાર તા.11 એપ્રિલના રોજ રાત્રે 10 કલાકે વડોદરાના હઝરત સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ શાહની આગેવાનીમાં ખલીફા-એ-રિફાઈ જનાબ જમિરઅહમદ ગુલામ મુસ્તફાના નિવાસસ્થાન પર કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી યોજાતો આ જલસો ખેરગામમાં આધ્યાત્મિક પરંપરા અને શ્રદ્ધાનો પ્રતિક બની ગયો છે.
આ જલસાની એક વિશેષતા એ છે કે મુસ્લિમ સમાજના આ ધાર્મિક કાર્યક્રમમાં હિન્દુ સમાજના આગેવાનો પણ સક્રિય રીતે ઉપસ્થિત રહી કોમી એકતાની અનોખી મિશાલ સ્થાપિત કરે છે. આ વર્ષે પણ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આ સૌહાર્દ અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવશે.કાર્યક્રમ દરમિયાન રાતેબ-એ-રિફાઈના જલસો,ઝિક્ર-અઝકાર, સાલતું વસ્સલામ,દુઆ અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાશે, જેમાં શ્રદ્ધાળુઓ હાજર રહી આત્મિક શાંતિનો લાભ લેશે.આ પ્રસંગે તમામ સમાજના લોકોને ઉપસ્થિત રહી આ ધાર્મિક તથા સામાજિક એકતાના પર્વમાં ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજન કર્તાઓએ વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!