GUJARATJUNAGADHKESHOD

કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા 151 સમૂહ તથા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું

કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા 151 સમૂહ તથા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું

કેશોદ લોહાણા ક્રાંતિ સેના ની સ્થાપના એક વર્ષ પહેલાં કરવામાં આવેલી હતી એક વર્ષમાં આ સંસ્થા દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ, બાળકો માટે સમર કેમ્પ જસરાજ જયંતી પર દાદા જસરાજના જીવન પર નાટક આ ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વગેરે સહાય પણ કરવામાં આવી રહીછે લોહાણા ક્રાંતિ સેના દ્વારા આંબાવાડી ખાતે આવેલ શ્રી લોહાણા મહાજન સુંદર વાડી ખાતે 151 સમૂહ માતાજીના લોટા નું આયોજન કરવામાં આવેલું હતું પ્રસંગ ની શરૂઆતમાં યજમાનો ને પૂજન વિધિ શાસ્ત્રીજી ઉત્તમચંદ્ર સારસ્વત દ્વારા શાસ્ત્રોકત વિધિથી કરાવવામાં આવેલ પૂજન બાદ યજમાનો તથા લોહાણા ક્રાંતિ સેનાના કાર્યકરો દ્વારા મહા આરતી કરવામાં આવેલી હતી ત્યારબાદ કુલ 36 પરિવારો દ્વારા 151 માતાજીના લોટા જેમાં 1200 જેટલી બાળાઓ બહેનો ની ગોળણી નું પૂજન યજમાન બહેનો દ્વારા કરવામાં આવેલ હતો દરેક ગોળણી ને કટલેરી તથા રોકડ ભેટ પણ આપવામાં આવેલ હતી આ તકે ડી વાય એસ પી બિપીન ચંદ્ર ઠક્કર સાહેબ ડી ડી દેવાણી ડો અજય સાંગાણી હાજર રહ્યા છે આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ રાંદલ માતાજીના ગરબા તેમજ રાસ ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું લોહાણા ક્રાંતિ સેનાના પ્રમુખ ડો સ્નેહલ તન્ના ના જણાવ્યા મુજબ આજરોજ યોજાયેલ રાંદલ માતાજીના 151 સમૂહ લોટા માં દરેક જ્ઞાતિની બાળાઓ બહેનોનું ગોળણીતરીકે પૂજન કરવામાં આવ્યું હતું રાત્રે સત્યનારાયણની કથા રાખવામાં આવેલ જેમાં વક્તા શાસ્ત્રીજી દ્વારા ભક્તોને પોતાની વાણી અને જ્ઞાન દ્વારા મંત્ર મુગ્ધ કરી દીધા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!