GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા:- પતિના અવસાન બાદ વિધવા બહેનને જેઠ જેઠાણી દ્વારા વારસાગત મિલકત માં ભાગ ન આપવા બાબતે ઝગડો કરી હેરાન કરતાં પંચમહાલ અભયમ ટીમ મદદે

ગોધરા

નિલેશકુમાર દરજી શહેરા

પંચમહાલ ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી કવિતાબેન દ્વારા કોલ કરીને જણાવેલ કે મારાં પતિના અવસાન બાદ મને મારાં જેઠ જેઠાણી મારાં પતિના ભાગની મિલકત માં ભાગ આપવા ના પાડે છે અને ઝગડો કરી હેરાન કરે છે.
પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કવિતાબેન સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે મારાં પતિનું અવસાન થયે દસ વર્ષ થયાં છે. મારે સંતાનમાં 2 બાળકી છે . હું છૂટક મજૂરી કરી બાળકોનું અને મારું ભરણપોષણ કરી ગુજરાન ચાલવું છું. મારાં સાસુ સસરાની જે મિલક્ત છે તે મારાં જેઠ જેઠાણી પાસે છે. તેઓ મને જમીન માં કે કોઈ પણ ચીજવસ્તુઓ માં મને મારાં પતિના હિસ્સાનો ભાગ આપતાં નથી. આ બાબતે વાતચીત કરતા તેઓ મારી સાથે ઝગડો કરી મને અપશબ્દો બોલે છે. તેમજ હું બહાર મજૂરી કરું તેનાથી ઘર ચાલે છે મને મારી છોકરીઓના ભવિષ્ય ની ચિંતા થાય છે જેથી 181 પર મેં જાણ કરી.
સ્થળ પર જઈ 181 ટીમ દ્વારા કવિતાબેનના જેઠ જેઠાણીનું અસરકારક કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. તેમને તેમની ભૂલ સમજાઈ અને બાંહેધરી આપી કે અમે આમારી નાના ભાઈની પત્ની છે જેમને મારાં નાના ભાઈનો જે મિલકતમાં હિસ્સો છે તે આપી દઇશુ. તેમજ હવે પછી તેમની સાથે ઝગડો કરી અપશબ્દો ના બોલીયે. અને ગામના વડીલો એકઠા કરી જે વારસામાં મળેલી મિલક્ત છે તેના સરખા હિસ્સા કરી લઈશુ. અને તેમને મિલક્ત બાબતે ફરી ઝગડો કરી હેરાનગતિ નહિ કરીએ તેની ખાત્રી આપીએ છીએ.
આમ 181 ટીમ દ્વારા અસરકારક કાઉન્સિલિંગ કરી તેમના જેઠ જેઠાણી ને સમજાવવા બદલ તેમજ સમયસર મદદ પહોંચાડવા બદલ કવિતાબેને 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!