હાલોલ: હજરત બાદશાહ બાબાના ઉર્ષ તેમજ સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીના ખીરાજે અકીદતમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું,205 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૨.૨૦૨૪
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે હજરત બાદશાહ બાબાના ઉર્ષ તેમજ સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીના ખીરાજે અકીદતમાં રક્તદાન શિબિરનું આયોજન બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઈન્દુ બ્લડ બેન્ક વડોદરાના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. દરગાહ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 9 કલાકે રક્તદાન નો આરંભ કર્યો હતો. જે રક્તદાન સાંજે સુધીમાં 205 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.દરગાહ ખાતે યોજાયેલ રક્તદાન એ મહાદાન ના એમસાથે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ હતું.અગાઉ પણ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મહિલા વિકાસ મંડળ ધ્વારા પાવાગઢ રોડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 115 રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું જ્યારે આજે બુધવારના રોજ યોજાયેલ રક્તદાનમાં પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ લાભ લીધો હતો.આ પ્રંસગે હજરત બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટના પ્રમુખ એહસાનભાઈ વાઘેલા,ઉપ પ્રમુખ અજીજુલભાઈ દાઢી સહિત હજરત બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ફેસલભાઈ કાલોલિયા, સલીમભાઈ અબુચાચા, મેહબૂબભાઈ મલીક, જુનેદભાઈ હાજી, રફીકભાઈ મિરઝા, રફીકભાઈ મલીક, મોયુદ્દીનભાઈ વાઘેલા, અલ્લારખાભાઇ દેલોલિયા,રિયાજભાઈ શેખ તેમજ મહિલા વિકાસ મંડળના પ્રમુખ યાસમીનબેન શેખ,સામાજિક કાર્યકર ફારુકભાઈ બાગવાલા, ફરીદાબેન શેખ, મુઝફરભાઈ ઘડિયાલી,ઇમરાનભાઈ મકરાણી સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેમાં રક્તદાતાઓ દ્વારા 205 જેટલી માતબર રક્ત બોટલ એકત્રિત કરી રક્તદાન કરતા વડોદરા ઇન્દુ બ્લડ બેન્કના કર્મચારીઓએ હજરત બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.












