*ડેડિયાપાડા નાં ગારદા ખાતે દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કર્યું;*
*દીપડાએ પશુઓનું મારણ કર્યું હોવાનું જાણી ગ્રામજનોમાં ભારે ફાફડાટ ફેલાયો;*
તાહિર મેમણ : ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ગારદા ગામમાં કેટલાક સમયથી દીપડાએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠવા પામી છે, ત્યારે ફરીને એક વાર દીપડા એ વધુ એક વાછરડી નું મારણ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગારદા ગામના પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવા ની સાડા ચાર વર્ષની વાછરડી ત્રણ દિવસ પહેલા જ એમના મિત્ર જીવરાજભાઈ રાશલભાઈ વસાવાને ભાગે આપી હતી, ત્યારે તા.૦૨, ફેબ્રુઆરી, ૨૦૨૩ નાં રોજ અંદાજિત સવારે ૧:૩૦ વાગ્યા ની સુમારે ઘર ની બહાર વાડામાં બાંધેલા પશુઓનો અવાજ આવતા જીવરાજભાઈ રાશલભાઈ વસાવાએ બેટરી મારતાં જોયું તો એક દીપડા એ વાછરડી નું મારણ કર્યું હતું, અને જેવી દીપડા પર બેટરી પડી દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને દીપડા નાં આતંક થી ગારદા ગામ ના પશુપાલકો માં ભારે ભય નો માહોલ ફેલાયો છે, આ ઘટના બાદ પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવા એ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો, પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.