NATIONAL

લાંબા સમયથી લિવ-ઈનમાં રહેતી મહિલા પુરુષ પર દુષ્કર્મનો આરોપ ન લગાવી શકે : સુપ્રીમ કોર્ટ

જો કોઈ મહિલા લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હોય તો તે કોઈ પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવી શકતી નથી. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આવી પરિસ્થિતિઓમાં એ સ્પષ્ટ કરી શકાય નહીં કે શારીરિક સંબંધો ફક્ત લગ્નના વચનના આધારે જ બનાવવામાં આવ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે લગ્નના વચનના આધારે આરોપી બેંક અધિકારી સાથે 16 વર્ષથી સંબંધમાં હતી.

લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા પછી મહિલા તેના પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવી શકશે નહીં. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક બળાત્કાર કેસમાં આ ચુકાદો આપ્યો છે. ખાસ વાત એ છે કે બંને એક દાયકાથી વધુ સમયથી સાથે હતા. કોર્ટે તેને સંબંધોમાં ખટાશનો કેસ ગણાવ્યો છે. ઉપરાંત અપીલકર્તાને ફોજદારી કાર્યવાહીમાંથી રાહત આપવામાં આવી છે.

અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં એ સ્પષ્ટ કરી શકાય નહીં કે શારીરિક સંબંધ ફક્ત લગ્નના વચનના આધારે બનાવવામાં આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે લગ્નના વચનના આધારે આરોપી બેંક અધિકારી સાથે 16 વર્ષથી સંબંધમાં હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી હતી.

ફરિયાદી મહિલા વ્યવસાયે લેક્ચરર છે. કોર્ટે તેની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર કોર્ટે કહ્યું કે તે બંને શિક્ષિત હતા અને આ સંબંધ સંમતિથી હતો કારણ કે તેઓ અલગ અલગ શહેરોમાં રહેતા હોવા છતાં એકબીજાના ઘરે જતા હતા. કોર્ટે કહ્યું કે આ સ્પષ્ટપણે સંબંધોમાં ખટાશનો મામલો છે.

બેન્ચે કહ્યું, ‘એ માનવું મુશ્કેલ છે કે ફરિયાદી લગભગ 16 વર્ષથી અપીલકર્તાની દરેક માંગણી સામે ઝૂકી રહી હતી, અને તેનો વિરોધ કરતી નહોતી કે અપીલકર્તા લગ્નના ખોટા વચનના આધારે તેનું જાતીય શોષણ કરી રહ્યો હતો.’ 16 વર્ષનો લાંબો સમયગાળો જે દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ કોઈપણ રોક ટોક વિના ચાલુ રહ્યો. આનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે સંબંધમાં ક્યારેય કોઈ બળજબરી કે છેતરપિંડી નહોતી.

કોર્ટે વધુમાં કહ્યું કે જો એ સ્વીકારવામાં આવે કે લગ્નનું કથિત વચન આપવામાં આવ્યું હતું, તો પણ તેઓ આટલા લાંબા સમય સુધી સંબંધમાં રહેવાથી તેમના દાવા નબળા પડે છે.

Back to top button
error: Content is protected !!