આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ

8 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુ.મા. અને ઉચ્ચ.મા. શિક્ષણ બોર્ડે દ્વારા લેવાયેલ ફેબ્રુઆરી/માર્ચ-2025 ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ ઉચ્ચતમ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારે છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં હાર્વી એસ.ચૌધરી એ PR:99.49 પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ નંબર, ક્રિષ્ન એમ.પટેલ એ PR:98.29 પ્રાપ્ત કરી દ્રિતિય નંબર તથા હેત આર. પરીખ એ PR:97.75. પ્રાપ્ત કરી તૃતિય નંબર પ્રાપ્ત કરેલ છે. તથા શાળાનું પરિણામ 88.23% આવેલ છે. સામાન્ય પ્રવાહમાં પ્રિયા જી.પ્રજાપતિ એ PR:98.59 પ્રાપ્ત કરી પ્રથમ નંબર, અર્થ કે. પટેલ એ PR:98.20 પ્રાપ્ત કરી દ્રિતિય નંબર તથા આસ્થા આર.ચૌહાણ એ PR:95.59 પ્રાપ્ત કરી તૃતિય નંબર પ્રાપ્ત કરેલ છે. તથા શાળાનું પરિણામ 98.87% આવેલ છે. આમ બોર્ડ દ્વારા લેવાયેલ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવી સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફમિત્રોએ શાળાનું ગૌરવ વધારવા બદલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.






