MORBI:મોરબીના લીલાપર મુખ્યમંત્રી આવાસના લાભાર્થીઓ નિયત થયેલ સંપૂર્ણ રકમ મહાનગરપાલિકામાં જમાં કરાવા અનુરોધ

MORBI:મોરબીના લીલાપર મુખ્યમંત્રી આવાસના લાભાર્થીઓ નિયત થયેલ સંપૂર્ણ રકમ મહાનગરપાલિકામાં જમાં કરાવા અનુરોધ
સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અન્વયે લીલાપર ના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યૂટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે. આખરી થયેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ દ્વારા આવાસની નિયત થયેલ સંપૂર્ણ રકમ મોરબી મહાનગરપાલિકામાં જમા કરવામાં આવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરવામાં આવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે આ નિવિદા પ્રસિદ્ધિ ની તારીખ થી દિન-૭ માં આપની બાકી રહેતી રકમ મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સંપર્ક કરીને જમા કરાવી આપના આવાસની કબજો સંભાળી લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.






