MAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં મોહરમ નિમિત્તે તાજિયા નું જૂનું આન બાન અને શાન કાઢવામાં આવ્યું

સંતરામપુર માં મોહરમ નિમિત્તે તાજિયા નું ઝુલુસ આન બાન અને શાંતિ કાઢવામાં આવ્યું.

તા. ૧૭/૭/૨૪

અમીન કોઠારી :- મહીસાગર

સંતરામપુરમાં ઇસ્લામના મહાન પેગંબર ના દોહીત્ર હજરત ઈમામ હુસૈન ની યાદમાં તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું.

 

મહોરમ એટલે અન્યાયની સામે ન્યાયની લડાઈ લડવી અને તેમાં હતી હાસિલ કરવી શાંતિ અને અહિંસાની લડાઈ એટલે મોરમનું પર્વ….

 

 

ઇસ્લામ ધર્મના પહેલા મહિના મોરમના દસમા દિવસે શહીદ હજરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા કાઢીને તહેવાર મનાવવામાં આવે છે.

 

 

સંતરામપુરમાં હજરત ઇમામ હુસેન અને તેઓ ના 72 સાથીઓ સાથે કરબલા માં શહીદ થયેલા…..

સહાદતની યાદ માં 10 મી મોહરમના રોજ સંતરામપુરમાં જુમ્મા મસ્જિદ, ફૈજાને મસ્જિદ ,નૂરી મસ્જિદમાં દસ દિવસ સુધી મૌલાના દ્વારા ઇમામ હુસેન ની યાદમાં વિશેષ બયાન કરવામાં કરવામાં આવેલું જેમાં એમાં હુસેન એ સામે અને ઘાતકી એવા યજિદ સામે અહિંસક લડાય લડીને ફતેહ હાંસલ કરી અને જીવનમાં ક્યારે પણ ગમે તેવી મુશ્કેલી આવે તો પણ સબર નો મુકામ ને છોડવું નહીં તેવો ઉમદા મેસેજ ઇન્સાનને આપીને નેક કાર્ય કર્યું.

આજરોજ સંતરામપુર ની તમામ મસ્જિદોમાં આસુરા ની નમાજ અદા કરવામાં આવેલી હતી .

હુસેની ચોકમાંથી રીફાઇ કમિટી દ્વારા તાજીયા નું ઝુલુસ કાઢ વામાં આવેલું હતું હુસેની ચોક ,સી ભાઈ ચોકડી ,ટાવર રોડ થઈ નગર ના વિવિધ માર્ગો પર ફરીને સંતમાં “યા હુસેન “ના નારા સાથે સંતરામપુરની ચીબોટા નદીમાં નાના મોટા થઈને આશરે 15 થી 20 જેટલા તાજીયા ને ઠંડા કરવામાં આવેલા હતા.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ જુલુસ કાઢવામાં આવ્યાં. કાયદો અને સલામતી ની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંતરામપુર પી.આઈ કે કે ડીંડોર પીએસઆઇ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફે ખડે પગે હાજરી આપી હતી તે બદલ સંતરામપુર મુસ્લિમ સમાજ તેમનો હૃદય પૂર્વક આભાર માને છે.

Back to top button
error: Content is protected !!