GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારાનો વિદાય સમારોહ યોજાયો

તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારાની વયનિવૃત્તિ નિમિત્તે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ એસ. કે. કટારાને તેમની નિષ્ઠાપૂર્ણ સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને વયનિવૃત્તિ બાદનું જીવન આરોગ્યપ્રદ, સુખમય અને સમૃદ્ધ રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તરફથી એસ. કે. કટારાના યોગદાનની સરાહના કરવામાં આવી અને તેમના ભાવિ જીવન માટે મંગલ કામનાઓ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!