ગોધરા તાલુકાના પઢીયાર ગામની ત્રણ આંગણવાડી સાવ જર્જરિત હાલતમાં, આ ખંડેરમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ?
સરકાર ચાંદીપુરમ રોગની સામે પગલાં ભરી રહી છે તો બીજી બાજુ પઢિયાર ગામના માસુમ બાળકોનું શિક્ષણ અને રહેઠાણ જોખમમાં

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ આંગણવાડી જર્જરિત હાલતમાં છે. નજરે જોનાર ને સાવ ખન્ડર લાગતી આંગણવાડી માટે સરકાર ક્યારે પગલા ભરશે તે જોવાઇ રહ્યું છે. શુ આવી રીતે ભણશે ભારતના ભવિષ્યના નાગરિકો ? પઢીયાર ગામની અંદર ત્રણ આંગણવાડી આવેલ છે જેમાં(1) પઢીયાર મુખ્ય 1 (2) કરણના મુવાડા પઢીયાર 2 (3) અંદરના મુવાડા પઢીયાર (3) આ ત્રણેય આંગણવાડી છેલ્લા 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે.આ અંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને લેખિત અને રૂબરૂ અનેક રજુઆતો કરી તેમ છતાં આ રજુઆતને કોઈ ધ્યાન આપતું નથી. .બાળકો હાલ ગામના આવેલ મકાનોમાં ભાડે રહી ભણે છે. આ મકાનોમાં બાળકો માખી મછારનો ભોગ બને છે.આ સ્થિતિમાં કોઈ ગંભીર રોગ થશે તો જવાબદાર કોઈ ? તેમાં પણ ભાડાના મકાનમાં અનેક અગવડતા પડતી હોય છે. પૂરતી જગ્યા મળતી નથી અમુક ઘર લિપણ વાડા હોય છે. ત્યાં ઝેરી જીવજંતુઓ આવી કરડે તો તે માટે જવાબદાર વ્યક્તિ કોણ ? હાલ ચોમાસાની ઋતુ છે જેમાં અત્યારે ચાંદીપુરમ જેવા વાયરસનો બાળકોમાં ફેલાવો થાય છે આંગણવાડીના આંગણમાં જ ખૂબ કાદવ કીચડ ભરાઈ રહે છે તો બાળકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે ? ગ્રામજનોની માંગ છે કે છેલ્લા 10 વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલ આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે. જેથી સાહિત્ય બાળકો તેમજ આંગણવાડી કાર્યકરોને એક ઘરથી બીજે ઘર બાળકોને ભણવા ભણાવવા ભટકવું ન પડે. જો આ બાબતે સરકાર અને સત્તાધીશો કોઈ ઇમરજન્સી ઇનરની નહિ લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું ગામલોકોનું બયાન છે.






