વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 138 પ્રાથમિક શાળાઓમાં ભણતી કુલ 9,093 કિશોરીઓની એનિમિયા મુકત અંતર્ગત તપાસ કરાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય વિભાગ હેલ્થ કચેરીના ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ માં કેર પ્રોજેક્ટ અંતર્ગત કિશોરીઓ ને એનીમિયા મુક્ત કરવા માટે કુલ 138 પ્રાથમિક શાળા અને સેકન્ડરી સ્કૂલમાં ભણતી કુલ 9,093 કિશોરીઓનું હિમોગ્લોબીન નું પ્રમાણ જાણવા માટે નો અનેમિયા મુક્ત સપ્તાહ નો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં જે કિશોરી નું હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછું હોય તો તેને સારવાર આપવા માં આવશે તારીખ 1 /9 /2023 થી તારીખ 15 /9 /2023 દરમિયાન આર બી એસ કે ટીમ ,સી એચ ઓ ,ફીમેલ વર્કર દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કિશોરીઓનું વજન ઊંચાઈ બી.એમ.આઈ તેમજ હિમોગ્લોબીન ની તપાસ કરવામાં આવી હતી આ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા દર ત્રણ માસે કરવામાં આવશે વધુમાં વધુલોહ તત્વ ની ઉણપ હોય તો શું થાય તેમજ કયા ખોરાકમાંથી વધુ પ્રમાણમાં લોહતત્વ મળી રહે તે માટેની સમજ વિડિયો ક્લિપ દ્વારા પૂરી પાડવામાં આપવામાં આવી હતી સમગ્ર સપ્તાહ દરમ્યાન તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન મુજબ મુકેશભાઈ ચૌહાણ દ્વારા સુપરવિઝન અને મોનીટ રિંગ કરવામાં આવશે અને તાલુકાની 138 જેટલી શાળાઓમાં ભણતી કિશોરીઓની એનિમિયા જેવી બીમારી ની તપાસણી કરવાની કામગીરી નો આરંભ કરવામાં આવ્યો હતો