સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથકે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પુન:મતદાન કરવાનો નિર્ણય લેવાયો
તા.૦૯.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Santrampur:સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથકે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પુન:મતદાન કરવાનો નિર્ણય લેવાયો
દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને લઈને ૧૨૩ – સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ ૨૨૦ – પરથમપુર મતદાન મથક ખાતે મતદાન પ્રક્રિયા દરમ્યાન અનિયમિતતાનો બનાવ બનતાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ થયેલ મતદાન રદ કરી તા.૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળા, પરથમપુર, તા. સંતરામપુર, જી. મહીસાગર ખાતે (સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી) પુન :મતદાન કરવા જણાવ્યું છે. જેની આ મતદાન મથકમાં સમાવિષ્ટ વિસ્તારના મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને પુન : મતદાનની તારીખ, સમય અને સ્થળની જાણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા જણાવાયું છે
પુન : મતદાન થનાર મતદાન મથકમાં સમાવિષ્ટ વિસ્તાર
૧) પટેલ કટારા, પારગી ફળિયું, પરથમપુર
૨) કાળીયા ફળિયું, પરથમપુર
૩) નિશાળ ફળિયું, પરથમપુર
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.