BHARUCHGUJARAT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર ખાતે મતદાન જાગૃતિ માટે પ્રભાતફેરી યોજાઈ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર ખાતે મતદાન જાગૃતિ માટે પ્રભાતફેરી યોજાઈ

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૨/૦૪/૨૦૨૪

 

ભરૂચ : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નેશનલ હાઇસ્કૂલ અને ટંકારી બંદર જંબુસરની શાળાના વિદ્યાર્થીઓ દ્નારા સ્થાનિક વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરી યોજાઈ હતી.

 

આ પ્રભાતફેરીમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈને ‘૧૦ મિનીટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, “મતદાન આપણો અધિકાર”, ‘અવસર લોકશાહીનો’, ‘પહેલા મતદાન પછી અન્ય કામ’ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો.

 

આ અવસરે સૌએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. મતદાન જાગૃતિ રેલી સાથે સિગ્નેચર કેમ્પેઇન કરી અવશ્ય મતદાન કરવા કરવા માટેનો સંદેશો આપ્યો હતો.

 

આ પ્રસંગે શાળાના શિક્ષકો, સામાન્ય લોકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો

હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!