GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ખાતે શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૫.૨૦૨૪

જગતગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૭ મો પ્રાગટ્ય મહોત્સવ હાલોલ નગર ખાતે આજે પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે મંદિરો માં શ્રી ઠાકોરજી ના મંગળા,પાલન, તીલક ના દર્શન કરવામાં આવ્યા હતા.જયારે દ્વારકાધીશ હવેલી તેમજ મંદિર ફળિયામાં છગન મગન લાલજી મંદિર ખાતેથી મહાપ્રભુજીની પ્રતિમાની શોભાયાત્રા નીકળી હતી.આ પ્રસંગે વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા.અને મોડી સાંજે મંદિર ફળીયા ખાતે મહાપ્રસાદી (મહાજન) નું આયોજન કરવામાં આવ્યું હતું.પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક, પ્રણેતા,અને ભક્તિ માર્ગનો વિકાસ માટે પ્રગટ થયેલ નારાદાદી પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી આથી ૫૪૭ વર્ષ પૂર્વે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના ચંપારણ્ય ખાતે ચૈત્ર વદ એકાદશીના દિવસે પ્રગટ થયા હતા.ત્યારથી વર્ષોવર્ષ પરંપરાગત મુજબ ભારતભરમાં આ શુભ દિવસે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની ઉજવણી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દ્વારા કરવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ હાલોલ નગરખાતે નગરના બસ સ્ટેન્ડ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે તેમજ નગરની મધ્યમાં આવેલ મંદિર ફળિયા ખાતે બિરાજમાન શ્રી છગન મગન લાલજી મંદિર ખાતે પ્રાગટ્ય દિનની ઉજવણી આવી હતી.બંને મંદિર ખાતે આજે વહેલી સવારે મંગળા દર્શન બાદ પ્રભાતફેરી,પુષ્ટિ ધ્વજ વંદના,શુંગારમાં શ્રી ઠાકોરજીને પાલનમાં ઝુલાવ્યા હતા. ત્યારબાદ શ્રી ઠાકોરજીના તિલક ના દર્શન કરાવવામાં આવતા વૈષ્ણવ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્ય થયા હતા.શ્રી દ્વારકાધીશ હવેલી ની શોભાયાત્રા ઢળતી સાંજે નગરના ફુલાભાઇ પાર્ક ખાતે રહેતા ગં.સ્વ.સુલોચનાબેન હર્ષદરાય શાહ ના નિવાસ સ્થાનેથી જયારે શ્રી છગન મગન લાલજી મંદિર ની શોભાયાત્રા યુવા વૈષ્ણવ સંગઠન દ્વવારા શ્રી ઝારોલા જ્ઞાતિ સમાજની વાડી ખાતે થી શોભાયાત્રા નીકળી હતી.બંને શોભાયાત્રા મંદિર ફળીયા ખાતે એકત્રિત થઈ બંને શોભાયાત્રા સાથે નગરના મુખ્ય માર્ગો પર ફરી બંને મંદિર ખાતે પરત ફરી હતી.આ પ્રસંગે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મોટી સંખ્યામાં જોડાતા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. આ ઉપરાંત નગરમાં વસતા તમામ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો દ્વારા મંદિર ફળીયા ખાતે સમૂહ ભોજન પ્રસાદીનું ( મહાજન )નું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય દિનની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!