વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ – વાંસદા
વલસાડ તાલુકાના તીઘરા ગામે 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અને આદિવાસી સમાજ ની જન જાગૃતિ ના આયોજન ની તૈયારી ના ભાગ રૂપે સ્થાનિક આગેવાનો મુકેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ક્રાંતિકારી બિરસમુંડા ને હાર પહેરાવી ને મિટિંગ નું આયોજન કરવામા આવ્યું હતું
*13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ માં મોટી સંખ્યા માં આવવા માટે આહવાહન કરવામાં આવ્યું*
જ્યાં વાંસદા અને ચીખલી ના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ,મહારૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ,નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ ના પ્રમુખશ્રી અને છાંયડો હોસ્પિટલ ના સંચાકલ ડૉ નિરવ પટેલ,હિરેનભાઈ ચણવઇ,સંતોષભાઈ ચણવઈ,ધર્મેશભાઇ વાંકલ,રાકેશભાઈ વાંકલ,છના ભાઈ માજી સરપંચશ્રી તીઘરા,પ્રિન્ટેશ ભાઈ વાડ,ઘેજ ગામના મિત્રો,અને મોટી સંખ્યા માં ગામના આગેવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.