GUJARATHALOLPANCHMAHAL

હાલોલના દાવડા ખાતે આવેલ બળિયાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૫.૨૦૨૫

હાલોલ નગરના દાવડા ખાતે જીર્ણોદ્ધાર થયેલ બળીયાદેવ મંદિરનો બુધવારના રોજથી શરૂ થનાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.હાલોલ ના દાવડા વિસ્તારમાં આવેલ બળીયાદેવ મંદિર અતિ પૌરાણિક તેમજ જૂનુ અને જર્જરીત થઇ જવાથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.તેજ મંદિર પરિસર ની અંદર શ્રી સિદ્ધેશ્વર મહાદેવ,શ્રી રામ પરિવાર, રાધાકૃષ્ણ તેમજ શનિદેવના મંદિરો બનાવી તેમાં ભગવાન ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે.જે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ યોજાનાર છે.જેમાં 9, મી મે બુધવારના રોજ સવારે 9.00 કલાકે શ્રી ગણપતિ મંદિર કંજરી રોડ થી બળીયાદેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજનાર છે.ત્યારબાદ 11.00 કલાકે યજ્ઞનો આરંભ થશે. બપોરે 4.00 કલાકે જલાઘીવાસ સાંજે પાંચ કલાકે સંધ્યા આરતી થશે.જ્યારે ગુરૂવારના રોજ સવારે 9.30 કલાકે પ્રાતઃ પૂજા,શરૂ થયા બાદ દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.જ્યારે શુક્રવારના રોજ સવારે પ્રાતઃ પૂજા,11.45 કલાકે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા ની બપોરે 4.30 કલાકે હવન કુંડ માં શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરવામાં આવશે.ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન શ્રી બળીયાદેવ મંદિર તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ દ્વારા કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!