DAHODGUJARAT

દાહોદ રામાનંદ પાર્ક ખાતે મહંત શ્રી જગદીશ દાસજી મહારાજના સાનિધ્યમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું 

તા. ૧૩. ૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રામાનંદ પાર્ક ખાતે મહંતશ્રી જગદીશ દાસજી મહારાજના સાનિધ્યમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું

દાહોદના રામાનંદ પાર્ક ખાતે દાહોદ કલેકટર યોગેશ નિર્ગુડે ની હાજરીમાં રાવણ દહન નો આયોજન કરવામાં આવ્યુંદાહોદ રામાનંદ પાર્ક ખાતે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામાનંદ પાર્ક નવરાત્રી ૨૦૨૪ મહંતશ્રી જગદીશ દાસજી મહારાજદ્વારા સફળતાપૂર્વક અને આયોજન બધ્ધ ભવ્ય નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ બાદ વિજયા દશમીનાં પાવન પર્વ નિમિત્તે રાવણનું પૂતળું બનાવીને તેનો દહન કરવામાં આવ્યું,કહેવાય છે કે ભગવાન શ્રી રામ દ્વારા રાવણનો વધ કરી અધર્મ પર ધર્મની વિજય થઈ હતી, રાવણ દહન સાથે સાથે સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું હતું રાવણ દહન ના આયોજનમાં દાહોદ કલેકટર યોગેશ નિર્ગુડે, મામલતદાર મનોજ મિશ્રા, પીએસઆઇ મિત્તલબેન પટેલ, મહંત જગદીશ દાસજી મહારાજ, ડૉ.નરેશભાઈ ચાવડા, મુકેશ રૂનવાલ, રામાનંદ પાર્ક સેવા સમિતિના સભ્યો સાથે સમસ્ત સનાતન વર્લ્ડ પરિવાર ના સદસ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ વિજયા દશમી ના પાવન પર્વે રાવણ દહન કરી આ પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો

Back to top button
error: Content is protected !!