મહાશિવરાત્રી મેળામાં યાત્રાળુઓ તથા ભક્તજનોની સુખાકારી અને સરળતા અર્થે જૂનાગઢ મહાનગર પાલિકા ધ્વારા માહીતી કેન્દ્રનો પ્રારંભ
ભાવિકોની સુવિધાર્થે માહીતી કેન્દ્ર દતચોક અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ઝોનલ ઓફીસ,ભવનાથ ખાતે કાર્યરત

વાતસલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢ ધ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની માફક માહીતી કેન્દ્ર દતચોક, ભવનાથ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. દત ચોક પ્રવાસી માહિતિ કેન્દ્રનો કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર ડૉ.ઓમ પ્રકાશ, એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, નાયબ કમિશનર એ.એસ. ઝાંપડા, આસિ.કમિશનર(વ) જયેશ પી.વાજા, આસિ.કમિશનર(ટે) કલ્પેશ જી. ટોલિયા, અગ્રણી યોગીભાઈ પઢીયાર તથા મહાનગર પાલિકા, જૂનાગઢ અને કલેક્ટર કચેરી, જૂનાગઢના અધિકારી / કર્મચારીની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો હતો.








