સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
**
સાબરકાંઠા જિલ્લામાં આગામી તહેવાર ગણેશ વિસર્જન / ઇદે-મિલાદ તા. ૧૧ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન અંબાજી મેળામાં જતા પદયાત્રીઓ તેમજ તા. ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર૨૦૨૪ દરમિયાન જાદર મુધણેશ્વર મહાદેવનો મેળો સળંગ દિવસ રાત્રી ભરાય છે. તા. ૧૪-૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ગાંભોઇ વિસ્તારમાં અડપોદરા ગામે ઝાલા બાવજીનો મેળો તથા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના ભાથીખાત્રી ગામે ભાથીજી ખત્રીજીનો પરંપરાગત લોકમોળા વર્ષોથી ભરાય છે. તેમજ જુદા જુદા ઇનપુટ ધ્યાજને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.એ. વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૫/૯/૨૦૨૪ના કલાક ૨૪-૦૦ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યાક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ:- પ્રતિક ભોઈ


