GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના હળમતીયા ગામે નલસેજલ યોજનાની કામગીરી કર્યા વગર નાણાં ઉપડી ગયા.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના હડમતીયા ગામે નલસેજલ યોજના ની કામગીરી કયૉ વગર નાણાં ઉપડી ગયા..

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા ની માંગ.ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી હતી દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું 2022 મા સરકારી ચોપડે આ યોજના ની કામગીરી સંપુર્ણપણે પુર્ણ થઈ ગઈ હતી ત્યારે આજે પણ આ નલસેજલ યોજના ની કામગીરી અધુરી હોવાની ને કેટલાક ગામોમાં કામગીરી નહીં થયા ની હકીકતો ધીમે ધીમે બહાર આવે છે.જેથી મહીસાગર જિલ્લામાં નલસેજલ યોજના ની વાસ્તવિકતા કઈક અલગ જણાય છે.

 

આ નલસેજલ યોજના ની કામગીરી માં આ યોજના નાં વિભાગના અધિકારીએ કમૅચારીઓ અને કોન્ટ્રાક્ટરો એ ભેગા મળીને સરકાર ની આ ગ્રામ્યવિસ્તારોમાંની શુદ્ધ પીવાનું પાણી આપવાની નલસેજલ યોજના માં સરકારને મુર્ખ બનાવી ને આ યોજના નાં નાણાં મીલીભગતથી ચાઉં કરી ગયા હોવાનું લોકમુખે ચચૉઈ રહ્યું છે.

નલસેજલ યોજના ની કામગીરી માં ભષ્ટ્રાચાર ને ગેરરીતિ આચરતા ને કામગીરી કેટલાક સ્થળોએ નહીં કરી ને ને કેટલાક સ્થળોએ કામગીરી અધુરી રાખી ને કામગીરી પ્લાન એસટીમેનટ મુજબ નહીં કરીને ભારે ગોબાચારી આચરીને ખીસ્સા ભરેલ છે.ને આ કામગીરી સંદભૅમાં તપાસ કરવા ગુજરાત સરકાર નાં રાજ્યના ત્રણ મંત્રી ઓઆવ્યા હતાં અને આ ભ્રષ્ટાચારીઓ સાથે મળી ને લોકો સાથે છલ કરી ગયા નું લોકો માં ચચૉઈ રહેલ છે.આ મંત્રીઓની મુલાકાત બાદ 111 એજન્સીઓને બ્લેક લિસ્ટમાંથી ક્લીનચીટ આપવામાં આવી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે ત્યારે છેલ્લા એક વર્ષથી જે ભ્રષ્ટાચારીઓ સામે તાપસ ચાલુ છે જેમના પાપે ગ્રામજનોને આ યોજનાનું એક ટીપું પાણી પણ નસીબ થયુ નથી.તેવી પરીસ્થીતી નલસેજલ યોજના નાં કૌભાંડ પર જે ઢાંકપિછોડો કરવા માટે નો જે પ્રયાસ કરાયો છે તે શું યોગ્ય છે ???

મહીસાગર જિલ્લામાં નલસેજલ યોજના સાકાર કરવા માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવાસ્મો યોજના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વાસ્મોના અધિકારીઓ અને કમૅચારીઓ ને કોન્ટ્રાકટરોની મિલી ભગતથી લાખો કરોડો રૂપિયા ચાઉ થઈ ગયેલ છે. ત્યારે પાણી ની અછત પણ ઉદૂભવશે.

તયારે ગ્રામજનો દ્વારા પાણી ની ખેંચ દુર થાય તે માટે પાણી આપો તેવી પોકર મહીસાગર જિલ્લામા ઠેરઠેર ઉઠસે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અધિકારીએ કોન્ટ્રાક્ટરો અને મંત્રીઓ સરકાર સામે કંઈપણ ચિત્ર સ્પષ્ટ કરે પણ આ નલસેજલ યોજના માં મહીસાગર જિલ્લા માં વાસ્તવિકતા કઈક અલગ જ જણાય છે.

નલસેજલ યોજનામાં મા થયેલ ભ્રષ્ટાચારનો મહીસાગર જીલ્લા માં ખુબજ ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે જેમા આ નલસેજલ યોજના ની કામગીરી થયેલ હોવાનું સરકારી ચોપડે ને વાસમો ની કચેરી માં બોલેછે બોલે છે પણ નથી આ ગામમાં પાઇપ લાઇન કે નથી નળ નાખવામાં આવ્યા ને ગ્રામજનો ને નથી નલસેજલ યોજના હેઠળ નું પાણી મળેલ નથી.માત્ર કાગળ પર યોજના બતાવીને જે તે સમયના વાસ્મો નાં અધિકારી અને કર્મચારીને કોન્ટેક્ટરે યોજનાના રૂપિયા ઉપાડી લીધા ની હકીકતો બહાર આવતા સમગ્ર મહીસાગર જિલ્લામાં નલસેજલ યોજના નાં ભષ્ટ્રાચાર નીજ ભારે ચચૉ ઓ થતી જોવાં મળે છે.

મહીસાગરજિલ્લામા લુણાવાડા તાલુકાના હડમતીયા ગામમા આજ સુધી નલ સે જલ યોજનાનીકોઈપણ કામગીરી કરવામાં આવી નથી કે નથી પાઇપો કે નળ લગાવવામાં આવ્યા ગામમાં જે પાણી આવે છે તે જુની લાઇનો હતી તેજ છે ને પાણી મળે છે.ગ્રામજનો નુ જણાવવું છે અમારા ગામમાં આ યોજનાનુ કામ થયુંજ નથી નથી કોઈ દિવસ પાઇપો નાખવામાં આવી કે નથી નળ ફિટ કરવામાં આવ્યા નથી ત્યારે આ હડમતીયા ગામે મંજૂર કરવામાં આવેલ નલસેજલ યોજના નાં જે નાણાં ગયા ક્યા ? એ સવાલ ગ્રામજનો મા ખુલલે આમ ચર્ચાઈ રહ્યો છે કે લુણાવાડા તાલુકાના હડમતીયા ગામે નલસેજલ યોજના હેઠળ ની પાઈપો કોઈ દિવસ નાખવામાં આવી નથી અને વાસ્મોની કચેરી દ્વારા ને કોન્ટ્રાકટર દ્વારા નલસેજલ યોજના હેઠળ ની કોઈ કામગીરી ગામ માં થઈ જનથી ત્યારે સરકારી ચોપડે રૂઢિ રૂપાલી દેખાતી આ નલસેજલ યોજના પુર્ણ પણ થઈ છે અને તેના નાણાં પણ જીલ્લા ની વાસમો કચેરી દ્વારા એજન્સી ને ચૂકવાઇ ગયા છે.તયારે આશ્ચર્યની વાત એ છે કે વાસ્મોની આ નલસેજલ યોજના ની કામગીરી માટે જે પાઇપો લાવવામાં આવી હતી તે પાઈપો આજે પણ કોન્ટ્રાકટર ના ઘરે પડેલી હોઈ જે જોઈ ને હડમતીયા ગામ નાં ગ્રામજનો પણ ચોકી ઉઠેલ અને આ નલસેજલ યોજના યોજનાને વાસ્મો દ્વારા સરકારી ચોપડે પરી પુર્ણ બતાવીઆ આખીને આખી નલસેજલ યોજના ના નાણાં ઉપાડી લ ઈ ને અધિકારીઓ . કમૅચારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યા હોવાનું ને સરકારી લોકહિત ની આ નલસેજલ યોજના ની કામગીરી માં ભાગબટાઈ કયૉ નું સ્પષ્ટ જોવા મળે છે.તયારે રાજ્ય નાં મુખ્ય મંત્રી આ નલસેજલ યોજના ની કામગીરી માં મહીસાગર જિલ્લામાં થયેલા ભષ્ટ્રાચાર ને કૌભાંડ સંબંધે જે મંત્રી ઓ ની ટીમે સબ સલામત નો રીપોર્ટ આપવા માં આવેલ હોવાનું જણાય છે ત્યારે આ રીપોર્ટ ગ્રાહ્ય નહીં રાખીને આ ગોબાચારી ને ભષ્ટ્રાચાર ને કૌભાંડ કરનારા વાસ્મો નાં અધિકારી અને કર્મચારીને કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી ત્વરિત કરાવે ને રાજ્ય સરકાર નું ભય ભુખ ને ભષ્ટ્રાચાર નું સુત્ર ને સાથૅક કરશે ખરું?????

મહીસાગર
જિલ્લામાં કુલ 714 ગામોમા આ યોજનાનુ કામ કરવામાં આવ્યું હતું ગત મહિને રાજ્યના ત્રણ મંત્રીઓ માત્ર 6 ગામોમા આ યોજનાનુ નિરીક્ષણ કરી ને એવું કારણ જણાવી ગયા કે આ યોજનાનુ પાણી નથી પહોંચ્યું તે ગામોમા પાણી અને વીજળીના સોર્સ ન હોવાથી યોજના નિષ્ફળ રહી છે ત્યારે વાસ્મો કચેરી દ્રારા નિષ્ણાત અધિકારી ઓ ને તજ્જ્ઞો દ્વારા કરવામાં આવેલ તપાસ માં 27 ગામો મા પાણીનો સોર્સ નથી અને માત્ર 6 ગામો એવા છે જ્યાં વીજળી કનેક્શ ન હોવાથી આ યોજના ચાલુ થઈ શકી નથી.નેબાકી નાં 681 ગામોમા લાઇટ અને પાણીના સોર્સ ઉપલબ્ધ છે પરંતુ પાણી કોઇને કોઈ કારણોસર પાણી મળતુ નથી.તો પછી કોનો રીપોર્ટ સાચો?? તે મુદ્દો હાલ સરકારી તંત્ર માં ને વાસમો ને પાણી પુરવઠા વિભાગ માં ભારે ચચૉ માં જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!