BANASKANTHAGUJARATPALANPUR

સીસરાણા મા.અને ઉ.મા.શાળા તા.વડગામ માં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

19 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

આજ રોજ તા.૧૯/૧૨/૨૦૨૪ ના રોજ સીસરાણા મા. અને ઉ. મા. શાળા , સીસરાણા શાળામાં આનંદ મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળા નું ઉદઘાટન સીસરાણા કેળવણી મંડળ, શાળાના આચાર્યશ્રી , સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું.જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીમિત્રો એ ૨૭ જેટલા સ્ટોલ કર્યા હતા. જેમાં પાલક પકોડા, ભેળ, સમોસા, ખમણ, મસાલા પાસ્તા , પાણીપુરી, ગુલાબજાંબુ, વગેરે વિવિધ સ્ટોલ દ્વારા વિદ્યાર્થીમિત્રો એ વિવિધ વાનગીઓનું વેચાણ ઉત્સાહપૂર્વક કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. સાથે સાથે પ્રાથમિક શાળા ના બાળકો તથા ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ મેળા ને સફળ કરવામાં મહત્વનો ભાગ ભજવી આ સમગ્ર આનંદ મેળા નો આનંદ મેળવ્યો. આ મેળા દ્વારા વિદ્યાર્થી મિત્રો એ ટીમ વર્ક અને વેપાર કરવાની કળા બહાર લાવવાનો સફળ પ્રયત્ન કર્યો.

Back to top button
error: Content is protected !!