
તા.૧૦/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક શહેર પોલીસ કમિશનરશ્રીના બ્રિજેશ કુમાર ઝાના અધ્યક્ષસ્થાને ૧૦ જૂન સાંજે ૧૨ કલાકે યોજાનાર છે.
રાજકોટ કચેરી ખાતેના કોન્ફરન્સ રૂમમાં યોજાનારી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહીને તેમના વિભાગ દ્વારા માર્ગ સલામતી અંગે કરેલી કાર્યવાહીનું પ્રેઝેન્ટેશન કરશે. આ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમના વિભાગના પ્રેઝેન્ટેશન સાથે તેમજ ગત મિટિંગની કાર્યવાહીના અહેવાલ સાથે ઉપસ્થિત રહેવા નાયબ પોલીસ કમિશનરશ્રી-ટ્રાફિક પૂજા યાદવની યાદીમાં જણાવાયું છે. નોંધનીય છે કે, આ બેઠકમાં શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો, માર્ગ સલામતીને લગતા પ્રશ્નો સહિતની બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93

