Rajkot: ૭૨- જસદણ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી આયોજન અંગેની માહિતી આપતા એ.આર.ઓ શ્રી ગ્રીષ્મા રાઠવા
તા.૬/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
એ.આર.ઓશ્રી રાઠવાએ કરી મતદાનની અપીલ
Rajkot, Jasdan: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા. ૦૭ મેના રોજ યોજાનાર મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજવા માટે જિલ્લાના વિવિધ મથકોએ ઈવીએમ રીસીવિંગની કામગીરી કરવામાં આવી હતી.
જે અંતર્ગત ૭૨- જસદણ વિધાનસભા મતદાર વિભાગના રિસીવી્ગ સેન્ટર ખાતે એ.આર.ઓ શ્રી ગ્રીષ્મા રાઠવા દ્રારા પોલિંગ પાર્ટીને રવાના કરવા અંગેની વિગતો વિશે પ્રેસ મીડિયાના મિત્રોને જાણકારી આપી હતી જેમાં ૭૨- જસદણ વિધાનસભા મતદાર વિભાગના કુલ મથકો, સંવેદનશીલ મથકો, ઈવીએમ, વીવીપેટ ફરજ પરના કર્મચારીઓ વગેરે વિગત તથા ઈમરજન્સીમાં મેડિકલની સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ તેમજ કર્મચારીઓની આરોગ્ય તપાસ માટે દવાઓ, ઓ.આર.એસ. સાથેના આરોગ્ય બુથ ઉપરાંત ફાયર બ્રિગેડ તેમજ સુરક્ષા માટે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
એ.આર.ઓશ્રીએ પ્રેસ મારફતે લોકોને મતદાન કરી આ લોકતંત્રના પર્વમાં સહભાગી થઈ લોકશાહીને મજબૂત કરવા અનુરોધ કર્યો હતો. તદુપરાંત અધિક પોલીસ કમિશનર શ્રી વિધિ ચૌધરીએ શેઠ હાઈસ્કૂલ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ, નિરીક્ષણ કરી આવશ્યક સૂચનો કર્યા હતા.