WAKANER:ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઑ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઑ.નો વિદાય સન્માન સમારંભ યોજાયો

WAKANER:ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઑ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઑ.નો વિદાય સન્માન સમારંભ યોજાયો
બી.આર.સી.ભવન વાંકાનેર ખાતે તા.૨૯/૦૬/૨૦૨૫, રવિવારના રોજ ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા વયનિવૃત્ત થયેલ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ.જે.જી.વોરા સાહેબ અને જિલ્લાફેર બદલી થયેલ પૂર્વ બી.આર.સી.કૉ.ઑ.શ્રી મયૂરરાજસિંહ પરમાર સાહેબનો ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાંકાનેર તાલુકાના ટી.ડી.ઓ. શ્રી બિપિનભાઈ સોલંકી સાહેબ, મુખ્ય અતિથિ ટી.પી.ઈ.ઓ.શ્રી કિશોરભાઈ રાઠોડ સાહેબ, તાલુકા હિસાબનીશ શ્રી આશિષભાઈ મકવાણા સાહેબ, કેળવણી નિરીક્ષક શ્રી રમેશભાઈ ડાભી સાહેબ,શ્રી યુવરાજસિંહ વાળા સાહેબ,શ્રી અશોકભાઈ સતાસિયા સાહેબ,શ્રી નવઘણભાઈ દેગામા સાહેબ, શ્રી અબ્દુલરહીમભાઈ બાવરા સાહેબ, વર્તમાન બી.આર.સી.કૉ.ઑ. શ્રી જાવિદભાઈ બાદી સાહેબ, મહેન્દ્રસિંહ ઝાલા સાહેબ, ડૉ.લાભુબેન કારાવદરા, વાંકાનેર તાલુકાના તમામ સી.આર.સી.કો.ઑ. શ્રી, તાલુકા શાળાના આચાર્યશ્રીઓ, પેટા શાળાના આચાર્યશ્રીઓ અને સમગ્ર વાંકાનેર તાલુકાના શિક્ષક ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં માનભેર વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા ડૉ. જે.જી.વોરા સાહેબ અને મયૂરરાજસિંહ પરમાર સાહેબને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, સન્માનપત્ર અને ભેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સી.આર.સી.કૉ.ઑ. શ્રી અમિતભાઈ દેથરિયા સાહેબ દ્વારા શ્રી ડૉ.જે.જી.વોરા સાહેબના સન્માનપત્રનું વાચન અને શ્રી હસનપર પ્રા. શાળાના શિક્ષક શ્રી ધવલભાઈ મહેતા સાહેબ દ્વારા શ્રી મયૂરરાજસિંહ પરમાર સાહેબના સન્માનપત્રનું વાચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂર્વ ટી.પી.ઈ.ઑ. માનનીય શ્રી ડૉ.જે.જી.વોરા સાહેબ તેમજ પૂર્વ બી.આર.સી. કૉ.ઑ. શ્રી મયૂરરાજસિંહ પરમાર સાહેબે વિદાયને અનુરૂપ પ્રેરક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ.ઑ. શ્રી કૌશિકભાઈ સોનીએ કર્યું હતું. આભારવિધિ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ કરી હતી. કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજન સમારંભ યોજાયો હતો. ત્યારબાદ શ્રી વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.










