GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે યોજાયેલ એક માસની યોગ શિબિરની પુર્ણાહુતિ

તા.1/11/202
વાત્સલયમ્ સમાચાર
“મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં સામેલ થતા રાજકોટ જેલના બંદીવાનો
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ જિલ્લા જેલમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતીથી એકત્રીસ ઓક્ટોબર વલ્લભભાઈ પટેલ જયંતિ સુધી દરેક જેલમાં બંદીવાન ભાઈઓ બહેનો તથા જેલના સ્ટાફ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનું તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દરેક જેલના ઓફિસર્સ સાથે અને બંદીવાન ભાઈઓ તથા બહેનો સાથે યોગ કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટીચર અને કો-ઓર્ડીનેટર્સ દ્વારા કરવામાં આવેલી ઉત્તમ કામગીરી બદલ રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી પ્રશંશાપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.






