NARMADATILAKWADA

પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નિ અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક દરબાર યોજાયો

પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નિ અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક દરબાર યોજાયો

રિપોર્ટર વસિમ મેમણ

પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. આ લોક દરબાર દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. અને લોકો ને પડતી સમસ્યાઓ સાંભળી તે સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે તેઓએ આશ્વાસન આપ્યું હતું ઉપરાંત પોલીસ એ પ્રજાની મિત્ર છે કોઈ પણ સમસ્યા હોય તો ગભરાયા વિના પોલીસ ને જાણ કરવા માટે પ્રશાંત સુંબે એ અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે પોલીસ વિભાગ હંમેશા પ્રજાની સેવામાં હોય છે અને પ્રજાની તકલીફો દૂર કરવા માટે પોલીસ વિભાગ તરફ થી કામગીરી કરવામાં આવતી હોય છે આ કામગીરી વધુ વેગવાન બને અને પોલીસ સાથે પ્રજા નો સંબંધ સચવાય અને વિસ્તારમાં પડતી દરેક તકલીફો દૂર થાય ઉપરાંત વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ મથકે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું આ લોક દરબારમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સાથે લોકો સાથે સીધો સંવાદ કરી વિસ્તારમાં નાની મોટી સમસ્યાઓ વિશે માહિતી મેળવી દરેક સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે તેઓએ આશ્વાસન આપ્યું ઉપરાંત વિસ્તારમાં ઝેરી દવા પીવાની બનતી ઘટનાઓ અટકાવવા અને આ ઘટનાઓનુ મુખ્ય કારણ શોધી આવિ ઘટનાઓને રોકવા અને લોકોની જિંદગી બચાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ લોક દરબાર માં ઉપસ્થિત સૌ ને અપીલ કરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!