Rajkot: રાજકોટ શહેરના ૩૬ જેટલા સ્થળોને “નો ડ્રોન ઝોન” જાહેર કરાયા
તા.૩૦/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર વિસ્તારમાં સુરક્ષા અર્થે પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેરમાં આવેલ સરકારી કચેરીઓ, સબ સ્ટેશનો, મંદિર, હોસ્પિટલ, ડેરી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા ૩૬ સ્થળો પર યુ.એ.વી કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલિત એરીયલ મિસાઇલ, હેલીકોપ્ટર કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફટના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી આ સ્થળોને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ડ્રોન ઉડાવવા માટે ડ્રોન સંચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં મોડલ નંબર, વજન ક્ષમતાની વિગતોની નોંધણી કરાવવાની રહેશે તેમજ ઉપયોગ પહેલા મંજૂરી લેવાની રહેશે.
સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટને આ આદેશ લાગુ પડશે નહીં. આ આદેશોનો અમલ રાજકોટ શહેરમાં તમામ વિસ્તારમાં તા.૧.૫.૨૦૨૫ થી તા.૩૦.૦૬.૨૦૨૫ સુધી કરવાનો રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.