Rajkot: ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ ખાતે તા.૧૩ જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા યોજાશે
તા.૧૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નાગેશ્વર મંદિર પાસે અને શેઠનગર સામે, જામનગર રોડ રાજકોટ ખાતે તા. ૧૩-૬-૨૦૨૪ સુધી વિવિધ કોર્સ માટેની ભરતી પ્રક્રિયા યોજાશે.
આ ભરતી પ્રક્રિયામાં ધોરણ ૧૦ પાસ પર કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, મિકેનિકલ ડીઝલ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ફિઝિયોથેરાપી ટેકનીશિયન, કોસ્મેટોલોજીમાં ૧ વર્ષના તાલીમના સમયગાળા સાથે અને વાયરમેન, ફિટરનો ૨ વર્ષનો તાલીમનો સમયગાળો ઉપરાંત ધોરણ ૮ પાસ પર ડ્રેસ મેકિંગ ૧ વર્ષના તાલીમના સમયગાળાના ટ્રેડ ફોર્મ ભરવાની તથા સ્વીકારવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
ઇચ્છુક તમામ ઉમેદવારોએ જાહેર રજા સિવાયના દિવસોમાં સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન સંસ્થા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. આ ફોર્મ ઓનલાઇન https://itadmission.gujarat.gov.in વેબસાઈટ પર ભરવું અથવા આઇ. ટી. આઈ. ના હેલ્પલાઇન સેન્ટર રૂબરૂ મુલાકાત લેવી અને વધુ માહિતી માટે ૯૯૭૯૭૧૧૮૯૬ અથવા ૯૪૨૭૨૧૩૪૪૬ પર સંપર્ક કરવા ઔધોગિક તાલીમ સંસ્થા, રાજકોટના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયુ છે.