GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાના નાગરિકોની આચારસંહિતાના ભંગને લગતી કૂલ ૨૮૫ ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ
તા.૨૮/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સી-વિજિલની ૨૫૫, એમ.સી.સી. ટોલ ફ્રીની ૨૨ અન્ય ૮ ફરિયાદોનો ઉકેલ
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. તા. ૧૬ માર્ચ થી આજ સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૨૮૫ ફરિયાદો ઉકેલવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં ૨૫૫ ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં ૨૨ ફરિયાદો, તથા અન્ય ૦૮ ફરિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ. તેમ નોડલ ઓફિસર શ્રી એચ. કે. સ્વામીની યાદીમાં જણાવાયું છે.