GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાના નાગરિકોની આચારસંહિતાના ભંગને લગતી કુલ ૨૨૭ ફરિયાદોનું હકારાત્મક નિરાકરણ
તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સી-વિજિલની ૧૯૭, એમ.સી.સી. ટોલ ફ્રીની ૨૨, અને ૧૯૫૦ની ૮ ફરિયાદોનો ઉકેલ
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં તા.૨૨ એપ્રિલ સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૨૨૭ ફરિયાદો મળી હતી.
રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં- ૧૯૭ ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં ૨૨ ફરિયાદો, જિલ્લા સંપર્ક કેન્દ્ર ૧૯૫૦ હેલ્પલાઈન નંબરમાં ૦૮ ફરિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ, તેમ નોડલ ઓફિસર શ્રી એચ.કે.સ્વામીની યાદીમાં જણાવાયું છે.