GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાના નાગરિકોની આચારસંહિતાના ભંગને લગતી કુલ ૨૪૯ ફરિયાદોનું હકારાત્મક નિરાકરણ
તા.૨૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં તા.૨૫ એપ્રિલ સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૨૪૯ ફરિયાદો મળી હતી.
રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં- ૨૧૯ ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં ૨૨ ફરિયાદો, મતદારયાદીમાંથી નામ કમી થઈ જવા બાબતે ૨ ફરિયાદો, ચૂંટણી કાર્ડ ન મળવા બાબતે પ ફરિયાદો તેમજ જૂની વિધાનસભામાંથી નામ કમી ન થવા બાબતે ૧ ફરિયાદ નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ, તેમ નોડલ ઓફિસર શ્રી એચ. કે. સ્વામીની યાદીમાં જણાવાયું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.