તા.૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તા.૦૧, મે ના રોજ “ગુજરાત સ્થાપના દિવસ” નિમિતે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રેડીયો પ્રિઝનનાં માધ્યમથી ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં જેલના અધિક્ષકશ્રી એ.પી.જાડેજા, પોલીસ ઈન્સપેક્ટરશ્રીઓનાં દિશાનિર્દેશ હેઠળ સ્ટાફ નર્સ અવનીબેન ઘાડીયાના દ્વારા રસપ્રદ રીતે ૧૯૬૦માં ગુજરાતની સ્થાપનાની માહિતી આપીને ગુજરાતનાં વિવિધ પ્રદેશોની લાક્ષણિકતારૂપ ધાર્મિક સ્થળો, વિવિધ લોકમેળા, વિવિધ પારંપારિક પરિવેશો, વગેરે દ્વારા ગરવી ગુજરાતની યશગાથા વર્ણવી હતી. આપણા રાજ્યનો સમૃદ્ધ સાહિત્યિક વારસો અને લેખકો, દેશના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર વિભૂતીઓ વિશે પણ વાત કરી હતી. હાલની ગુજરાતની સફળતાઓ અને ગુજરાતીઓનો વ્યાપારી મિજાજ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રવાસન સ્થળો વગેરેની વાત કરીને જેલવાસીઓને ગરવા ગુજરાતી હોવાની ભાવના જગાડવામાં આવી હતી.