BANASKANTHAGUJARATPALANPUR

શ્રીએલ.વી. નગરશેઠ હાઈસ્કૂલ, સમૌ મોટા ખાતે અગ્નિવીર અને SSC – GD તૈયારી કરતા યુવાનો માટે ” ભરતી માર્ગદર્શન સેમિનાર” યોજાયો

10 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

 નચિકેતા ફાઉન્ડેશન, પાટણ અને એલ.વી. શેઠ હાઈસ્કૂલ, સમૌમોટા ના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર અને SSC – GD તૈયારી કરતા યુવાન ભાઈ- બહેનો માટે ” ભરતી માર્ગદર્શન સેમિનાર” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  જેમાં યુવાનભાઈ- બહેનોને અગ્નિવીર અને SSC – GD માં સંસ્થા દ્વારા કેવી રીતે તૈયારી કરવી તથા ફોર્મ ભરવાથી લઇને લેખિત પરીક્ષાની તૈયારી સુધીની સંપૂર્ણ માહિતી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવી હતી.વધુમાં આ સંસ્થા દ્વારા ફિઝિકલ અને લેખિત કસોટી સુધીની તમામ પ્રકારની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે . વિદ્યાર્થી ભાઈ-બહેનો ઘરે બેઠા ઓનલાઇન ક્લાસ કરી શકે તે હેતુથી NSD PATAN નામથી એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 100 નચિકેતા ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ ઠાકોર તેમજ શાળાના ટ્રસ્ટી શ્રીજયંતીભાઈ રાજગોર,શ્રીઅમરતભાઈદવે , શાળાના આચાર્ય શ્રીનટુભાઈ જોશી, શાળાનો સ્ટાફગણ, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!