GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ-પ્લોટની આખરી હરરાજી ૧૨ ઓગસ્ટના રોજ યોજાશે

તા.૯/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી ખાતે બપોરે ૪:૦૦ વાગ્યાથી હરરાજીનો પ્રારંભ થશે

Rajkot: રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની આખરી હરરાજી સંભવિત આગામી તા. ૧૨ મી ઓગસ્ટ ને સોમવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે.

જેમાં ૧. એ- ખાણીપીણી, ૨. બી-૧ કોર્નર ખાણી-પીણી, ૩. કેટેગરી એક્સ – આઈસક્રીમ, ૪. કેટગરી-ઝેડ (ઝેડ ટી કોર્નર), ૫. કેટેગરી-ઈ (ઈ યાંત્રિક), ૬. કેટેગરી-એફ (એફ યાંત્રિક), ૭. કેટેગરી-જી (જી – યાંત્રિક), ૮. કેટેગરી-એચ (એચ યાંત્રિક)ના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી ખાતે બપોરે ૪:૦૦ કલાકથી હરરાજી પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વહીવટી અનુકૂળતા મુજબ આ સંભવિત હરરાજીના કાર્યક્રમમાં ફેરફાર પણ થઈ શકે છે, તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને રાજકોટ શહેર-૧ નાયબ કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!