GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં “નો યોર પોલીંગ સ્ટેશન”, ચુનાવ પાઠશાલા અને બુથ સફાઈ કાર્યક્રમો યોજાયા

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે ૭૧ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત અણીયાળા, રાજ સમઢીયાળા ગામો ખાતે ચુનાવ પાઠશાલા અને બુથ સફાઈ કાર્યક્રમો યોજાયા હતા. હડમતિયા ખાતે મતદાતા જાગૃતિ અભિયાન, પાટી રામપર ખાતે વિવિધ સુવિધાઓનું નિદર્શન અને મતદાર પ્રતિજ્ઞા તેમજ મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાથરોટા, જોધપર અને ખોખડદડ ખાતે “નો યોર પોલીંગ સ્ટેશન” અંતર્ગત મતદારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. સરધાર ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમ યોજાયો હતો.વધુમાં ૬૭ વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત હિરાસર ખાતે પણ મતદારોને જાગ્રત કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!