Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટનાં કર્મયોગીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીઘી
તા. 6/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જન-જનમાં ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસીયાની અધ્યક્ષતામાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. જેમાં વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં યોગદાન આપવા તથા સ્વદેશી વસ્તુઓએ અપનાવી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગવંતુ બનાવવા સંકલ્પ કર્યો હતો. આ તકે સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોશીપુરા અને શ્રી રઝાકભાઈ ડેલા, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી નિલેશભાઈ વાઘેલા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.