તા.૨૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ‘વિશ્વ ટીબી દિવસ ૨૦૨૪’ ની ઉજવણી ‘હા! આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ!’ (Yes! We Can End TB!) વિષયક પરિસંવાદ સતત તબીબી શિક્ષણ (CME) દ્વારા યોજાયો હતો.
ક્ષય રોગ સામે લડવા માટે ટીબીના ક્ષેત્રમાં દાયકાઓનો અનુભવ ધરાવતા જાણીતા પલ્મોનોલોજિસ્ટ, તથા નિષ્ણાત તજજ્ઞો જાહેર આરોગ્ય સમસ્યા તરીકે ટીબીના જોખમને નાબૂદ કરવા માટે અથાક લડત આપવાના સામૂહિક સંકલ્પ માટે સંકલ્પબધ્ધ થયા હતાં .
લેક્ચર થિયેટર એકેડેમિક બ્લોક AIIMS રાજકોટ ખાતે ૨૭ માર્ચ,૨૦૨૪ના રોજ બપોરે ૦૨ PM થી ૦૫ PM દરમિયાન યોજાયેલ આ પરિસંવાદમાં CME માં ફેકલ્ટીઓ, સિનિયર રેસિડેન્ટ્સ અને જુનિયર રેસિડેન્ટ્સ (Acad અને Non-Acad) સહિત તબીબી વ્યાવસાયિકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ટીબીની ઝાંખી અને રાજકોટમાં ટીબીના પરિસ્થિતિગત વિશ્લેષણથી શરૂ કરીને જ્ઞાનાત્મક પ્રસ્તુતિઓની શ્રેણી રજૂ કરાઈ હતી .
ટીબીના વૈશ્વિક પરિસ્થિતિગત વિશ્લેષણ, ટીબી સ્ક્રીનીંગ અને રેફરલ, ટીબી નિદાન માર્ગદર્શિકાઓ અને નિદાનમાં પડકારો, પુખ્ત વયના ટીબી સારવાર માર્ગદર્શિકા અને સંકળાયેલ પડકારો, સારવાર માર્ગદર્શિકાઓ અને બાળરોગના કેસોની સારવારમાં પડકારોની ચર્ચા કરી આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.